મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે રેતીની લીઝ રદ્દ કરવાની માંગ: નદી કાંઠે દેખાવો કરાયો


SHARE













હળવદના ચાડધ્રા ગામે રેતીની લીઝ રદ્દ કરવાની માંગ: નદી કાંઠે દેખાવો કરાયો

હળવદના ચાડધ્રા ગામે રાજ્ય સરકાર દ્વારા રેતીની લીઝ આપતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને લીઝ રદ્દ કરવાની માંગ સાથે નારા લગાવ્યા હતા અને લીજ રદ્દ કરવામાં નહીં આવે તો ચાડધ્રા ગામને હિજરત કરવી પડે તેવી સ્થિતિ છે.

હળવદ તાલુકાના વિવિધ ગામમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રાજ્ય સરકાર દ્વારા લીઝનો બ્લોક ફાળવવામાં આવ્યો છે અને આ લીઝના બ્લોકને લઈને ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે અને લીઝ રદ્દ કરવાની માગણી કરી છે. બ્રાહ્મણી નદીમાં 6 એકરમાં રાજ્ય સરકાર દ્વારા લીઝ આપવામાં આવી છે અને આ લીઝમાંથી ઉપરાંત આજુબાજુમાંથી રેતી ખનન થતું હોવાથી પાણીના સ્ત્રોત ઘટી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને ખેડૂતોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.ચાડધ્રા પાસે ઘુડખર અભ્યારણ ઇકો સેન્સિટીવ ઝોન આવેલું છે અને  નજીક જ રહે તેની લીજ મંજુર કરાવતા રક્ષિત પ્રાણી ઘુડખર સહિત અન્ય વન જીવ્યોને પહોંચી શકે તેમ છે.લીઝ રદ કરોની માંગ સાથે મોટી સંખ્યામાં ચાડધ્રા ગામના ખેડૂતો બ્રાહ્મણી નદીમાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.








Latest News