વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા


SHARE

















હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા

હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી અને તે યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી તે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક વ્યક્તિ પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45) હોવાનું સામે આવ્યું હતું અને તેના માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા (26)એ ઝાલાભાઇ રામાભાઇ ભરવાડ રહે. પલાસણ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતા જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેઇજાઓ કરીને તેની હત્યા કરેલ છે જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News