મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ !  મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી


SHARE











મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે અને હિન્દુઓ ઉપર કરવામાં આવેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં નિર્મમ રીતે હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને આગામી તા. 29/4/2025 ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રદ કરવામાં આવે છે અને આ આતંકવાદી હુમલાની ઘટનાને સખત  શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તા. 29/4/2025 ના રોજ પરશુરામ ધામ ખાતે દાદાની આરતી કરવામાં આવશે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે






Latest News