મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી


SHARE







મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે અને હિન્દુઓ ઉપર કરવામાં આવેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં નિર્મમ રીતે હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને આગામી તા. 29/4/2025 ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રદ કરવામાં આવે છે અને આ આતંકવાદી હુમલાની ઘટનાને સખત  શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તા. 29/4/2025 ના રોજ પરશુરામ ધામ ખાતે દાદાની આરતી કરવામાં આવશે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે






Latest News