મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી


SHARE













મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો તે ઘટનાને મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને વડાપ્રધાન દ્વારા દોષિતોને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને નિર્દોષ પ્રવાસી ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરીને પરિવાર સાથે ફરવા માટે આવેલા લોકોમાંથી 26 જેટલા નિર્દોષ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા છે ત્યારે મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા દ્વારા પ્રત્યેક ભારતવાસી માટે અત્યંત પીડાદાયક આ હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવેલ છે અને હુમલાના બનાવમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે અને તેઓના પરિવારના સભ્યોને દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના કરેલ છે અને હુમલાની પાછળ જે કોઈ પણ ગુનેગાર હોય તેની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જલ્દીથી જલ્દી કાયદાની ભાષામાં જવાબ આપશે અને કાયદાનું ભાન કરાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News