રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

જુનાગઢથી મોરબીની જેલમાં લઈ જવતો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર


SHARE











જુનાગઢથી મોરબીની જેલમાં લઈ જવતો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર

જુનાગઢ જેલમાંથી જેલ બદલી માટે મોરબી જેલ ખાતે આરોપીને લઈને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ આવી રહ્યા હતા ત્યારે ટંકારાના મીતાણા ગામ પાસે તેઓનું સરકારી વાહન ગરમ થઈ ગયું હતું જેથી ખજૂરા હોટલના પાર્કિંગમાં વાહન ઉભું રાખ્યું હતું અને ત્યારે આરોપીએ ટોયલેટ જવું છે તેવું કહ્યું હતું જેથી તેને ટોયલેટ લઈ ગયા હતા અને ત્યાંથી બહાર નીકળીને આરોપીએ પોલીસ જવાનનો હાથ છોડાવીને હાથ કડી સાથે સ્થળ ઉપરથી નાશી ગયેલ છે જેથી જુનાગઢના પીએસઆઇ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રવિશંકર સરદારસિંહ ડામોરએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા રહે. જૂનાગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી કાચા કામનો આરોપી હોવાથી ફરિયાદી તથા સાહેદો તેને સરકારી વાહનમાં જેલ બદલી માટે મોરબી જેલ ખાતે લઈ જતા હતા દરમિયાન મીતાણા ગામથી આગળના ભાગમાં હાઇવે રોડ ઉપર અચાનક તેઓનું સરકારી વાહન ગરમ થઇ જતા ગાડીને ખજુરા હોટલના પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી હતી ત્યારે આરોપીએ ટોયલેટ જવું છે તેવુ કહ્યું હતું જેથી તેને ખજૂરા હોટલના ટોયલેટમાં લઈ ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા સમયે આરોપીએ એએસઆઈ જયેશભાઈનો હાથ છોડાવીને ટોયલેટમાંથી બહાર નીકળીને હાથ કડી સાથે બાજુની દીવાલ ઠેકીને ત્યાંથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News