વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના સરતાનપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના સરતનપર રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ટ્રક ચાલકે ડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવારમાં તેનુ મોત નીપજયું હતું જેથી આ બનાવમાં મૃતક યુવાનની પત્નીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ કયુંસેવન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજુબેન જગદીશભાઈ ઋષિ (22)એ હાલમાં ટ્રક નંબર જીજે 39 ટી 1603 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક કારખાના પાસેથી ફરિયાદીના પતિ જગદીશભાઈ સહદેવભાઈ ઋષિ (33) સાહે સુનિલભાઈનું બાઈક નંબર એમપી 37 ઝેડઇ 6412 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને સામેથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના પતિને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ છે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વાહનમાં નુકશાન

મોરબીમાં આવેલ ઋષભનગર શેરી નં-3 માં રહેતા નરેન્દ્રભાઈ મુકેશભાઈ રાજગોર (41) એ ટ્રક નંબર જીજે 11 ટી 9696 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રીયલ કોમ્પલેક્ષ સામે સર્વિસ રોડ ઉપરથી ફરિયાદી તેની કાર નંબર જીજે 36 એફ 6010 લઈને પેટ્રોલ પંપમાં ડીઝલ ભરવા માટે જતા હતા ત્યારે ટ્રકના ચાલકે ફરિયાદીની કારમાં ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજા તથા પાછળના બમ્પરમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી તેની ગાડીમાં નુકસાન થયું હોય હાલમાં નરેન્દ્રભાઈ રાજગોરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News