મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE











હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

હળવદનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી અને તે મૃતક યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45)ની હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચે હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મૃતક તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરાને માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું જેથી તેની બોડીને પીએમમાં મોકલાવી હતી અને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા એ પલાસણ ગામના રહેવાસી ઝાલાભાઇ રામાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવેલ હતું જેમાં જણાવ્યુ હતું કેતેના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતી તેનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારીને હત્યા કરી છે જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News