મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE













હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

હળવદનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી અને તે મૃતક યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45)ની હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચે હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મૃતક તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરાને માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું જેથી તેની બોડીને પીએમમાં મોકલાવી હતી અને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા એ પલાસણ ગામના રહેવાસી ઝાલાભાઇ રામાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવેલ હતું જેમાં જણાવ્યુ હતું કેતેના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતી તેનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારીને હત્યા કરી છે જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News