લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE

















હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

હળવદનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી અને તે મૃતક યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45)ની હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચે હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મૃતક તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરાને માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું જેથી તેની બોડીને પીએમમાં મોકલાવી હતી અને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા એ પલાસણ ગામના રહેવાસી ઝાલાભાઇ રામાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવેલ હતું જેમાં જણાવ્યુ હતું કેતેના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતી તેનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારીને હત્યા કરી છે જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News