મોરબીમાં દેવેનભાઇ રબારીની દીકરીના જન્મદિવસની સેવામય ઉજવણી કરાઇ મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ વાંકાનેર અને મોરબીમાં દારૂની 5 રેડ: 2500 લિટર આથો, 14 બોટલ દારૂ અને 2 બિયરના ટીન કબજે હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી વાંકાનેરમાં બીમારીથી કંટાળીને માતાજીના મઢમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને વૃદ્ધે કર્યો આપઘાત રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી
Breaking news
Morbi Today

મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત


SHARE











મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત

મોરબીમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ શખ્સે મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવ્યું હતું જેને પોલીસ અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખીને તોડી પડેલ છે અને અંદાજે 1 કરોડની  સરકારી જમીન ખુલ્લી કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ ગેરકાયદે ઊભી કરેલી મિલકતો અથવા સરકારીમાં ઊભી કરેલી મિલકતોને તોડી પાડવા માટેની કામગીરી સંબંધિત વિભાગને સાથે રાખીને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે તેવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ શક્તિનગર પાસે જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવર નામના શખ્સ દ્વારા મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 121માં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવવામાં આવ્યું હતું જે મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યું છે અને અંદાજે 150 ચોરસ મીટર જગ્યા જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા થાય છે તે ખુલ્લી કરાવવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ શખ્સ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય તેના મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને હાલમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને આવી જ રીતે મોરબી શહેર તથા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા સરકારી ખરાબા કે ગોચરની જગ્યા ઉપર જો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હશે તો તેને તોડવામાં આવશે.






Latest News