મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ
Breaking news
Morbi Today

મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત


SHARE













મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત

મોરબીમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ શખ્સે મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવ્યું હતું જેને પોલીસ અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખીને તોડી પડેલ છે અને અંદાજે 1 કરોડની  સરકારી જમીન ખુલ્લી કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ ગેરકાયદે ઊભી કરેલી મિલકતો અથવા સરકારીમાં ઊભી કરેલી મિલકતોને તોડી પાડવા માટેની કામગીરી સંબંધિત વિભાગને સાથે રાખીને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે તેવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ શક્તિનગર પાસે જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવર નામના શખ્સ દ્વારા મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 121માં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવવામાં આવ્યું હતું જે મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યું છે અને અંદાજે 150 ચોરસ મીટર જગ્યા જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા થાય છે તે ખુલ્લી કરાવવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ શખ્સ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય તેના મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને હાલમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને આવી જ રીતે મોરબી શહેર તથા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા સરકારી ખરાબા કે ગોચરની જગ્યા ઉપર જો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હશે તો તેને તોડવામાં આવશે.






Latest News