મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત


SHARE











મોરબીમાં દેશીના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડી પડ્યું: 1 કરોડની જમીન દબાણમુક્ત

મોરબીમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ શખ્સે મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવ્યું હતું જેને પોલીસ અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખીને તોડી પડેલ છે અને અંદાજે 1 કરોડની  સરકારી જમીન ખુલ્લી કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ ગેરકાયદે ઊભી કરેલી મિલકતો અથવા સરકારીમાં ઊભી કરેલી મિલકતોને તોડી પાડવા માટેની કામગીરી સંબંધિત વિભાગને સાથે રાખીને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે તેવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ શક્તિનગર પાસે જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવર નામના શખ્સ દ્વારા મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 121માં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવવામાં આવ્યું હતું જે મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યું છે અને અંદાજે 150 ચોરસ મીટર જગ્યા જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા થાય છે તે ખુલ્લી કરાવવામાં આવેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ શખ્સ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય તેના મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને હાલમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને આવી જ રીતે મોરબી શહેર તથા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા સરકારી ખરાબા કે ગોચરની જગ્યા ઉપર જો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હશે તો તેને તોડવામાં આવશે.






Latest News