આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

અરણીટીંબા પાસે બાઈક આડે રોજડુ અને ખાખરેચી નજીક બાઇક આડે ભેંસ આવતા જુદાજુદા બે અકસ્માત


SHARE













અરણીટીંબા પાસે બાઈક આડે રોજડુ અને ખાખરેચી નજીક બાઇક આડે ભેંસ આવતા જુદાજુદા બે અકસ્માત

વાંકાનેરના અરણીટીંબા ગામ પાસે બાઈક આડે રોજડુ તેમજ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ નજીક બાઆડે ભેંસ આવી હતી જેથી જુદા જુદા બે અકસ્માત થયા હતા જેમાં ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા હબીબભાઈ જીવાભાઇ માથકિયા (63) નામના વૃદ્ધ અરણીટીંબા ગામ નજીક આવેલ કેનાલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હબીબભાઈ માથાકિયાને ઈજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે તાલુકાના ખાખરેચી ગામે રહેતા લક્ષ્મણરામ પાનારામ (21) નામનો યુવાન ઘાટીલાથી ખાખરેચી ગામ વચ્ચે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના બાઈકની આડે ભેંસ ઉતરતા અકસ્માત થયો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે 108 મારફતે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ રામસેતુ સોસાયટીમાં રહેતા મીત રાજેશભાઈ ઠોરીયા (20) નામના યુવાનને રામેશ્વર ફાર્મની સામેના ભાગમાં આવેલ સરદાર પિચમાં મારામારીમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News