મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો


SHARE











મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

આ કેસની હકીકતો એવી છે કે મોરબીના જગદીશભાઈ ભાણજીભાઈ વડાવીયા પાસેથી લતીપુરા વડોદરાના એગ્રો ફુડસ એક્ષપોર્ટ પ્રા.લિ.ના ડાયરેકટર ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલે સંબંધ દાવે ૧૪,૨૫,૦૦૦ તેમજ બીજી રકમ પણ કટકે કટકે મેળવી હતી આમ કુલ મળીને ૨૮,૦૭,૦૦૦ હાથ ઉછીના લીધેલહતા તે લેણી રકમની ફરીયાદીએ માંગણી કરતા ઘનશ્યામભાઈફરીયાદીને રૂપીયા ૧૪,૨૫,૦૦૦ ની લેણી રકમનો ચેક ઈસ્યુ કરેલ હતો જે ચેક બેન્કમા જમા કરાવતા તે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને ફરીયાદીએ ઘનશ્યામભાઈ સામે મોરબીની કોર્ટમાં વર્ષ ૨૦૨૩ થી નેગો.ઈ. એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદના કામે ઘનશ્યામભાઈ ૪,૨૪,૦૦૦ ચુકવેલ છે ત્યાર બાદની બાકી રકમ ૧૦,૦૧,૦૦૦ ફરીયાદીને ચુકવવામાં આવેલ નથી જેથી ફરીયાદ પક્ષની કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીની કોર્ટે ઘનશ્યામભાઈ પટેલને એક વરસની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ ૧૦,૦૧,૦૦૦ ની ડબલ રકમ એટલે કે, ૨૦,૦૨,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે અને તે દંડમાથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ટકા ૯ ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદના વકીલ તરીકે રાજેશ જે.જોષી, મહેશભાઈ આર.પરમાર તથા જય ડી.જોષી રોકાયેલા હતા.






Latest News