મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીમાં વૃદ્ધ અને ભરતનગર નજીક આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના આલાપ રોડે આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા જો કે, હાર્ટ એટેકથી તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાતે સૂતેલા રાજસ્થાની આધેડનું નિંદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત નીપજયું છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ વિજયનગર-2 માં રહેતા કેશવજીભાઈ પરસોતમભાઈ પાડલીયા (68) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરને તેઓને જોઈ તપાસીને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના દીકરા હિરેનભાઈ કેશવજીભાઈ પાડલીયા (40) રહે. આલાપ રોડ વિજયનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે નીલકંઠ પેટ્રોલ પંપ સામે વાહન પાર્કિંગમાં રાજસ્થાનના અલવર જિલ્લાના પ્રતાપગઢ તાલુકાના રહેવાસી રામખિલાડી રામપાલ મીણા (50) નામના આધેડ રાત્રી દરમિયાન સૂતા હતા ત્યારબાદ ઉઠ્યા ન હતા અનેટેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રામકિશોર રામપાલ મીણા (47) રહે. હાલ જનકપુરી સોસાયટી સામાકાંઠે મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News