ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા કોર્ટે પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને કરી ત્રણ મહિનાની જેલ


SHARE













ટંકારા કોર્ટે પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને કરી ત્રણ મહિનાની જેલ

પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ નહીં ભરતા જેલમે બેસાડવા માટે વકીલે કાર્યવાહી કરી હતી અને કોર્ટે પ્રતિવાદીને ત્રણ મહીનાની જેલ અને એક દિવસના ૨૫૦ રૂપિયાનો જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ કર્યો છે.

પશ્ચિમ ગુજરાત વિજ કાં.લી. (પી.જી.વી.સી.એલ.) દ્વારા ટંકારા કોર્ટમાં જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહ સામે કોર્ટના હુકમ મુજબની લેણી થતી રકમ ૪૮,૯૦૦ પુરા વસુલ મેળવવા દિવાની દરખાસ્ત નં.૦૪/૨૦૨૫ થી દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી આ દરખાસ્તના કામે વાદીના વકીલ મારફત જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહની જંગમ મિલ્કતની જપ્તીનું વોરંટ કાઢવા અરજી કરતા કોર્ટે તેમની સામે જંગમ મિલ્કતની જપ્તી માટે વોરંટ કાઢ્યું હતું અને બેલીફ મારફત જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહના ઘરે જંગમ મિલ્કતની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવતા વાદીના વકીલ નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી જાડેજા દિગ્વીજયસિંહ બહાદરસિંહની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧, રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટમાં જુબાની લેવા માટે અરજી કરેલ હતી જે અરજી નામદાર કોર્ટે મંજુર કરેલ અને પ્રતિવાદીને તે બાબતે સમન્સ પણ નામદાર કોર્ટ દ્વારા બજાવવામાં આવેલ પરંતુ પ્રતિવાદી પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદીના વકીલ નિકંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત નામદાર કોર્ટ સમક્ષ પ્રતિવાદી ને "જેલ" માં બેસાડવા માટે સી.પી.સી. ઓ-૨૧, રૂલ-૪૧(૩) મુજબની અરજી કરેલ હતી જે અરજી નામદાર કોર્ટે મંજુર રાખી પ્રતિવાદી જાડેજા દિગ્વીજયસિંહ બહાદુરસિંહને ત્રણ મહીનાની જેલનો તથા વાદીને એક દિવસના ૨૫૦ રૂપિયાનો જેલનો ખર્ચ ભરવા માટેનો ટંકારા કોર્ટના જજ એસ.જી.શૈખ સાહેબ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં મોરબીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News