મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ


SHARE













મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ

મોરબીમાં જમીનનું બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા દાવો કરવામાં આવેલ હતો જે દાવો કોર્ટે કાઢી નાખેલ હતો ત્યાર બાદ વાદીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપિલ કરી હતી જેની સામે પ્રતિવાદીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે અપિલ પણ રદ કરી નાખેલ છે

મોરબીના વજેપર ના સર્વે નં.-૧૦૫૩ પૈકીની ખેતીની જમીન હે.આરે.ચો.મી.૯૧ પૈકી ની ૨૦% ની જમીન ભગવાનજી રામજીભાઈ ડાભી પાસેથી અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા મોરબીની કોર્ટમાં દી.કેશ.નં. ૬૦/૧૫ થી દાવો કરેલ હતો આ દાવો વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની બેદરકારીના કારણે દાવો કોર્ટે કાઢી નાખેલ (ડી.ડી.કરેલ) જેથી વાદીએ કોર્ટ સમક્ષ તે જ દાવો રીસ્ટોર કરવા માટે દિ.૫.અ.નં. ૩૪/૧૮ થી ફરી દાવો બોર્ડ પર લઈ ચલાવવા માટે અરજી કરેલ હતી પરંતુ તે અરજી પણ રદ કરેલ હતી જેની સામે અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દિ.૫.અપિલ નં.૦૭/૨૦૧૯ થી અપિલ દાખલ કરેલ હતી અને આ અપિલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી એપેલેન્ટ પોતાનો દાવો રીસ્ટોર કરવાની અપિલ પુરવાર કરવામાં નિષ્ફળ જતા વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની અપિલ પણ રદ કરી નાખેલ છે અને ભગવાનજીભાઈ રામજીભાઈ ડાભી તેમજ અશોકભાઈ બાબુભાઈ ભિમાણી વિગેરે-૭ પ્રતિવાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકની દલીલને ધ્યાને લઈ તેમની તરફેણમાં ચુકાદો આપેલ છે. આ કેસમાં પ્રતિવાદીના પક્ષે વકીલ નિકુંજભાઈ કોટક તથા હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, અશોકભાઈ દામાણી તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.






Latest News