ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ


SHARE













મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ

મોરબીમાં જમીનનું બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા દાવો કરવામાં આવેલ હતો જે દાવો કોર્ટે કાઢી નાખેલ હતો ત્યાર બાદ વાદીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપિલ કરી હતી જેની સામે પ્રતિવાદીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે અપિલ પણ રદ કરી નાખેલ છે

મોરબીના વજેપર ના સર્વે નં.-૧૦૫૩ પૈકીની ખેતીની જમીન હે.આરે.ચો.મી.૯૧ પૈકી ની ૨૦% ની જમીન ભગવાનજી રામજીભાઈ ડાભી પાસેથી અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા મોરબીની કોર્ટમાં દી.કેશ.નં. ૬૦/૧૫ થી દાવો કરેલ હતો આ દાવો વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની બેદરકારીના કારણે દાવો કોર્ટે કાઢી નાખેલ (ડી.ડી.કરેલ) જેથી વાદીએ કોર્ટ સમક્ષ તે જ દાવો રીસ્ટોર કરવા માટે દિ.૫.અ.નં. ૩૪/૧૮ થી ફરી દાવો બોર્ડ પર લઈ ચલાવવા માટે અરજી કરેલ હતી પરંતુ તે અરજી પણ રદ કરેલ હતી જેની સામે અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દિ.૫.અપિલ નં.૦૭/૨૦૧૯ થી અપિલ દાખલ કરેલ હતી અને આ અપિલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી એપેલેન્ટ પોતાનો દાવો રીસ્ટોર કરવાની અપિલ પુરવાર કરવામાં નિષ્ફળ જતા વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની અપિલ પણ રદ કરી નાખેલ છે અને ભગવાનજીભાઈ રામજીભાઈ ડાભી તેમજ અશોકભાઈ બાબુભાઈ ભિમાણી વિગેરે-૭ પ્રતિવાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકની દલીલને ધ્યાને લઈ તેમની તરફેણમાં ચુકાદો આપેલ છે. આ કેસમાં પ્રતિવાદીના પક્ષે વકીલ નિકુંજભાઈ કોટક તથા હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, અશોકભાઈ દામાણી તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.






Latest News