મોરબીના ખાખરાળા ગામે યુવાનની છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
SHARE
મોરબીના ખાખરાળા ગામે યુવાનની છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
મોરબીના ખાખરાળા ગામે વેકેશન કરવા માટે ઘરે આવેલ યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો તેવામાં ગામનો જ એક શખ્સ બંદૂક લઈને તેની પાસે આવ્યો હતો અને યુવાન ઉપર ભડકો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, બંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકીને યુવાનની હત્યા કરાઇ હતી જે ગુનામાં આરોપીની અમદાવાદથી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે
મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો જો કે, તેનો દીકરો કિશન વૅકેશન કરવા માટે તેઓના ઘરે ખાખરાળા ગામે આવ્યો હતો અને ત્યારે આરોપીએ તેને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા કિશનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો અને તા. 30/ 4 ના રોજ બનેલ બનાવવામાં છ દિવસ સુધી આરોપી ઝડપાયેલ ન હોવાથી વડવાળા યુવા સંગઠન ની આગેવાની હેઠળ રબારી સમાજ દ્વારા રેલી યોજીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ અને આરોપીને વહેલી તકે પકડીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચારેલ અને તેઓની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મુળુ ઉર્ફે સાગર ડાંગર અમદાવાદમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે અમદાવાદના ગીતામંદિર પાસેથી આરોપી મુળુ ઉર્ફે સાગર આદાનભાઈ ડાંગર (૩૩) રહે. સતનામ સોસાયટી નાની વાવડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અત્રે ઉલ્લેખ છે કે અગાઉ પોલીસે ઘટના સ્થળેથી બે કાર્ટિસ તથા લોહીવાળું હથિયાર અને આરોપી જે ગાડી લઈને ભાગી ગયો હતો તે ગાડી અને ગાડીમાંથી બે કાર્ટિસ કબજે કર્યા હતા આ આરોપીના રિમાન્ડ લેવા માટે હવે તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે