મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટાદહીસરા ગામે થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE













માળિયા (મી)ના મોટાદહીસરા ગામે થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન પર છુટકારો

માળિયા (મી)ના મોટા દહીસરામાં મારા મારીની ઘટના બનેલ હતી જે ગુનામાં પકડાયેલા 6 આરોપીના રેગ્યુલર જામીન માટે વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે.

માળિયા (મી)ના મોટા દહીસરામાં ગત તા 24/4/24 ના રોજ ફરિયાદી વિજય હમીરભાઇ પરમાર તેમજ આરોપીઓ અજય છગનભાઈ પરમાર વચ્ચે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેની બંને પક્ષેથી માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં આરોપી જીતેશ ઉર્ફે જીતેન્દ્ર કાનજી, રમેશ કાનજી પરમાર, નરેશ કાનજી પરમાર, શામજી શિવા પરમાર, સુરેશ બુટા બાંભવા અને છગન કાનજી પરમાર તેમજ બીજા અન્ય આરોપી એમ કુલ મળીને 13 આરોપીઓ સામે ગુનો નોંધાયેલ હતો અને કુલ 6 આરોપીઓને પોલીસે અટક કરીના કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરેલ હતા. જે આરોપીઓના રેગ્યુલર જામીન માટે તેઓના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને કુમારી મેનાઝ પરમાર મારફતે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરેલ હતી જેમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી.મહિડા સાહેબે જામીન અરજી મંજૂર કરેલ છે તેમજ આરોપીઓને રૂપિયા 25000 ના શરતને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.






Latest News