માળિયા (મી)ના મોટાદહીસરા ગામે થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન પર છુટકારો
મોરબીના રેલ્વે સ્ટેશને ડીઆરએમની વિઝિટ બાદ સ્લેબનો ભાગ તૂટી પડ્યો !: રિનોવેશન ખર્ચ સામે સવાલ
SHARE
મોરબીના રેલ્વે સ્ટેશને ડીઆરએમની વિઝિટ બાદ સ્લેબનો ભાગ તૂટી પડ્યો !: રિનોવેશન ખર્ચ સામે સવાલ
મોરબીમાં આવેલ રેલ્વે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે દરમિયાન ગઈકાલે ડીઆરએમ મોરબી રેલ્વે સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા અને તેઓ મોરબીથી પરત રવાના થયા બાદ રેલવે સ્ટેશનમાં છત ઉપરથી સ્લેબનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જોકે સદનસીબે ત્યારે કોઈ ટ્રેનની અવરજવર ન હતી જેથી મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું ચર્ચા રહ્યું છે. ઉલેખનીય છે કે, સરકારે કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનનું રિનોવેશનનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવી હોય તેનો બોલતો પુરાવો રેલવે સ્ટેશન ખાતે ગઈકાલે જોવા મળ્યો હતો અને આવી રીતે ભવિષ્યમાં કોઈ જગ્યાએથી કાટમાળ તૂટીને પડે અને કોઈ મુસાફર કે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ સવાલ ઉઠી રહ્યો છે.