મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો


SHARE















ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો

ટંકારાના મહેન્દ્રપુર ગામે રહેણાંક પ્લોટોમાં થઈને રસ્તો હતો તેવો દાવો કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં વાદી તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હતા અને પ્રતિવાદીના વકીલે કરેલ દલીલ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને ટંકારાની કોર્ટે વાદીનો દાવો નામંજુર કરેલ છે.

ટંકારા તાલુકાના મહેન્દ્રપુરની ખેતીની જમીનમાં જવા- આવવા માટેનો રસ્તો પ્રતિવાદીના બિનખેતી રહેણાંક પ્લોટોમાં થઈને હતો, તે અંગેનો વાદીએ પ્રતિવાદીઓ વિરુધ્ધ કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કરેલ હતો. જે દાવો ટંકારા કોર્ટમાં ચાલી જતા વાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેમજ પ્રતિવાદીઓના બિનખેતી પ્લોટીંગમાં કોઈ જ રસ્તો ન હોય, તેવા બચાવ તથા વાદીનો દાવો સી.પી.સી. ઓર્ડર ૭, રૂલ -૧૧ મુજબ ટકવાપાત્ર ન હોય તેવી પ્રતિવાદીના વકીલ અલ્પેશ પી. હાલપરાએ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને સાથે રાખી ધારદાર દલીલ કરી હતી જે દલીલને માન્ય રાખીને ટંકારાના મહે. પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબે વાદીનો દાવો નામંજુર કર્યો છે આ કેસમાં પ્રતિવાદી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા તથા સુરેશ આર.વાઘાણી રોકાયેલ હતા.




Latest News