મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન


SHARE











મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન

મોરબીના હરીપર ગામના ભાણજીભાઈ અગોલા મૂળ એલ.ઈ. કૉલેજના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક થયા પછી હેડ ઓફ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ પદેથી નિવૃત્ત થયા છે અને તેઓએ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન શરુ કર્યું છે.

ગુજરાતનાં ૧૮૨૫૦ ગામડાની સરકારી સ્કૂલમાં ધો. ૬થી ૮ નાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું  'યુવાનોને...' પુસ્તક વિના મૂલ્યે આપવાનું વિચાર્યું હતું અને ખાસ કરીને વિવિધ પ્રકારના દાનમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. જ્ઞાનદાન જીવનમાં જીવંત રહેતુ હોવાથી તેની અસર વરસો સુધી રહે છે. જેથી કરીને તેઓએ નિવૃત થયા પછી આજ સુધીમાં અઢી લાખ કિલો મીટર વાહન ચલાવીને છેલ્લા વર્ષોમાં એક કે બે શાળા કે ગામ નહીં પરંતુ ગુજરાતના ૨૫૦ તાલુકામાં ૮ લાખ વિદ્યાર્થીઓને આ પુસ્તક વિના મુલ્યે આપ્યું છે. અને આ પુસ્તકથી છેલ્લા વર્ષોમાં ઘણા બાળકોમાં પરીવર્તન આવ્યું હોય તેવું જોવા મળ્યું છે જેથી કરીને તેઓને હવેથી દર વર્ષે ૧ લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે અને હાલમાં આ પુસ્તકની નકલો પ્રેસમાં છપાઈ છે.






Latest News