મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન
ટંકારાના ગાયત્રીનગરમાં આવેલ શાળામાં સમર યોગ કેમ્પ યોજાયો
SHARE










ટંકારાના ગાયત્રીનગરમાં આવેલ શાળામાં સમર યોગ કેમ્પ યોજાયો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત સમર યોગ કેમ્પમાં વિધાર્થીઓનાં જન્મદિન પર યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને ગીતાના શ્લોક પણ કંઠસ્થ કરવામાં આવ્યા હતા
મોરબી જિલ્લાના ટંકારાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી સત્તત સમર યોગ કેમ્પ યોજાન કરવામાં આવ્યું છે અને વેકેશનની રજાના દિવસોમાં 170 જેટલી બાળયોગીઓએ યોગ કેમ્પમાં ભાગ લીધો હતો. આ યોગ કેમ્પમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાંથી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આ કેમ્પમાં બાળકોને યોગ, આસન,પ્રાણાયામ, ધ્યાન અને એડવાન્સ યોગ સાથે જુદી જુદી બ્રેઇન એક્ટિવેશન, ગેમ્સ, આપણી વિસરાઈ જતી શેરી રમતો અને સાથે મોબાઇલના વધતા જતા એડિક્ટેશને કારણે તથા નુકશાન વિષેની માહિતી આપવામાં આવી હતી અને આ સમર યોગ કેમ્પ આવતા બે વિધાર્થીઓના જન્મ દિવસ નિમિતે હિન્દુ નવનિર્માણ સેનાના ટંકારા તાલુકાના પ્રમુખ યોગીરાજસિંહ જાડેજા તથા સાહિત્ય પ્રેમી પાર્થભાઈ પંડ્યાની હાજરીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર યોગ કેમ્પનું સંચાલન યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા તથા સહયોગ સંચાલન યોગટ્રેનર મીરાબેન હિંશુ દ્વારા કરવામાં આવ્યું છે.

