મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં ડીમાન્ડ સર્વે કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી. થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ ૧,૫૦,૦૦૦ અને રાજ્ય સરકાર દ્વારા રકમ ૨,૫૦,૦૦૦ એમ કુલ મળીને ૪,૦૦,૦૦૦ ની સહાય ૪ (ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે

જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ ૩ ત્રણ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર કેમ્પ (મેળા)ઓનું આયોજન કરવામાં આવે છે.

જે કેમ્પ (મેળા) યોજાશે તેમાં મોરબીમાં સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર (બાળ મંદિર ) ખાતે તા. ૨૬/૦૫/૨૦૨૫, રામદેવ નગર મેઈન રોડ બાળા હનુમાનજી મંદિર આગળ બગીચામા તા. ૨૮/૦૫/૨૦૨૫, સાંઈબાબા મંદિર રણછોડનગર વી.સી.પરામાં તા. ૨૮/૦૫/૨૦૨૫, શક્તિમાં મંદિર શનાળા તા. ૩૦/૦૫/૨૦૨૫ અને દલવાડી સર્કલ, પચીસ વારિયા ખાતે ૩૧/૦૫/૨૦૨૫ ના રોજ યોજાશે જેનો જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા મહાપાલિકાન ડેપ્યુટી કમિશ્નરે અનુરોધ કર્યો છે.






Latest News