મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​ 
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા


SHARE











તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડી અને તેની ટીમ કામ કરી રહી છે અને વાંકાનેર સીટી વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં ભરતભાઈ દલસાણીયા"CEIR પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરીને કુલ 11 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 2.60 લાખ થાય છે તે શોધીને તેના મૂળ માલિકોને પરત આપેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ યશપાલસિંહ પરમાર, મુકેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયાએ કરી હતી.






Latest News