માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં


SHARE











મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામ પાસે બે કાર અથડાઈ હોવાથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશ મોહનભાઈ બારીયા (30), હરેશ રામજીભાઈ બારીયા (31), ચકીરાભાઈ જીવાભાઈ નીનાધા (49), મેહુલ પ્રકાશભાઈ વડેરા (24) અને નરેશ નશાભાઈ કોદરવી (25) નામના પાંચ વ્યક્તિઓને નાના-મોટી ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને તેના પિતાએ મારમાર્યો

મોરબીના બાપાસ રોડ નજીક આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા આકાશ દિનેશભાઈ ઉઘરેજા (32) નામના યુવાનને તેના પિતાએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

આધેડને પત્ની-દીકરાએ માર માર્યો

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ નકુમ (50) નામના આધેડને તેના પત્ની અને દીકરાએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે






Latest News