મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં


SHARE

















મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામ પાસે બે કાર અથડાઈ હોવાથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશ મોહનભાઈ બારીયા (30), હરેશ રામજીભાઈ બારીયા (31), ચકીરાભાઈ જીવાભાઈ નીનાધા (49), મેહુલ પ્રકાશભાઈ વડેરા (24) અને નરેશ નશાભાઈ કોદરવી (25) નામના પાંચ વ્યક્તિઓને નાના-મોટી ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને તેના પિતાએ મારમાર્યો

મોરબીના બાપાસ રોડ નજીક આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા આકાશ દિનેશભાઈ ઉઘરેજા (32) નામના યુવાનને તેના પિતાએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

આધેડને પત્ની-દીકરાએ માર માર્યો

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ નકુમ (50) નામના આધેડને તેના પત્ની અને દીકરાએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે




Latest News