મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ જીવન ટુકાવ્યું


SHARE













વાંકાનેરમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને તેની માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો ત્યારે માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતે યુવતીને લાગી આવતા તેણીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ ભવનભાઈ રાઠોડની 20 વર્ષની દીકરી હેતલબેને પોતે પોતાના ઘરની અંદર આવેલ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક હેતલબેનને તેની માતાએ ઘરકામ બાબતે સવારે ઠપકો આપ્યો હતો જે બાબતે માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે બાબતે મનોમન લાગી આવતા તેણે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સિંદુર પી ગઈ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાડીયારી ગામ પાસે આવેલ વોલસેરા સીરામીક કારખાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુસ્મિતાબેન અર્જુનભાઈ બિરવા (30) નામની મહિલા કોઈ કારણોસર સિંદુર પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતમાં બે યુવાનોને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાર્દિક ઘનશ્યામભાઈ (33) તથા વિષ્ણુ અમૃતભાઈ (27) નામના બે યુવાનોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News