ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE









ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના યુવાને તેઓના ગામના વ્યક્તિ સાથે માથાકૂટ કરી બોલાચાલી અને ઝઘડો કરનારા બે શખ્સને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતા જે બાબતનો ખાર રાખીને બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે એક શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને સાથળના ભાગે છરી મારી હતી જેથી યુવાનને સાથળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા માટે યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (48)એ હાલમાં યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) ગામ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની વાઘગઢ ગામની પાછળના ભાગમાં આવેલ વાડીની બાજુમાં અઠવાડીયા પહેલા તેઓના ગામના રમભા ઝાલાની સાથે બંને આરોપીઓ બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરતા હતા ત્યારે ફરિયાદીએ આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા જે બાબતનો ખાર રાખીને યોગેશભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ કાસુન્દ્રાએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યોગેશભાઈ કાસુન્દ્રાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી માટે ફરિયાદીને સારવારમાં હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં તેને પગમાં ત્રણ ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

