મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખના મુદામાલની ચોરી


SHARE













વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલા વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનના દરવાજાને તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ આમ કુલ મળીને 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ મકવાણા (53)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા 13/5/2025 ના સવારના આઠ વાગ્યાથી લઈને તા. 15/5/2025 ના સવારના સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરના દરવાજાને તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બેડરૂમમાં રાખવામાં આવેલ તિજોરીમાંથી સોનાના બે પેન્ડલ, સોનાની કાનની ત્રણ જોડી બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, સોનાની કાનમાં પહેરવાની ચાર જોડી કડી, સોનાની કાનમાં પહેરવાની એક જોડી શેર, સોનાની બે વીંટી, નાકમાં પહેરવાના સોનાના છ દાણા, ચાંદીનો એક જુડો, ચાંદીની મગમાળા તથા ચાંદીના આઠ જોડી સાંકડા આમ કુલ મળીને સોના ચાંદીના 1,65,000 રૂપિયાની કિંમતના દાગીના અને 5,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનેલ આધેડની દીકરીની સારવાર માટે તો રાજકોટ ગયેલ હતા જેથી તેઓનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવેલ છે અને સોના ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે.








Latest News