મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખના મુદામાલની ચોરી


SHARE











વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલા વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનના દરવાજાને તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ આમ કુલ મળીને 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ મકવાણા (53)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા 13/5/2025 ના સવારના આઠ વાગ્યાથી લઈને તા. 15/5/2025 ના સવારના સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરના દરવાજાને તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બેડરૂમમાં રાખવામાં આવેલ તિજોરીમાંથી સોનાના બે પેન્ડલ, સોનાની કાનની ત્રણ જોડી બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, સોનાની કાનમાં પહેરવાની ચાર જોડી કડી, સોનાની કાનમાં પહેરવાની એક જોડી શેર, સોનાની બે વીંટી, નાકમાં પહેરવાના સોનાના છ દાણા, ચાંદીનો એક જુડો, ચાંદીની મગમાળા તથા ચાંદીના આઠ જોડી સાંકડા આમ કુલ મળીને સોના ચાંદીના 1,65,000 રૂપિયાની કિંમતના દાગીના અને 5,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,70,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનેલ આધેડની દીકરીની સારવાર માટે તો રાજકોટ ગયેલ હતા જેથી તેઓનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવેલ છે અને સોના ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે.






Latest News