મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના યુવાને તેઓના ગામના વ્યક્તિ સાથે માથાકૂટ કરી બોલાચાલી અને ઝઘડો કરનારા બે શખ્સને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે એક શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને સાથળના ભાગે છરી મારી હતી જેથી યુવાનને સાથળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા માટે યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (48)હાલમાં યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) ગામ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની વાઘગઢ ગામની પાછળના ભાગમાં આવેલ વાડીની બાજુમાં અઠવાડીયા પહેલા તેઓના ગામના રભા ઝાલાની સાથે બંને આરોપીઓ બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરતા હતા ત્યારે ફરિયાદીએ આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને યોગેશભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ કાસુન્દ્રાએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યોગેશભાઈ કાસુન્દ્રાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી માટે ફરિયાદીને સારવારમાં હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં તેને પગમાં ત્રણ ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News