મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા


SHARE













મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા

મોરબી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભરી લેવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસોમાં અંદાજે 8 થી 10 જેટલા લોકોને કુતરાએ બચકા ભરી લીધા છે જેથી રસ્તે રખડતા કૂતરાઓને પકડવામાં આવે તેવી સ્થાનિક લોકો મનપા પાસે માંગ કરી રહ્યા છે

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસમાં તે વિસ્તારમાં રહેતા એક બે નહીં પરંતુ 8 થી 10 જેટલા લોકોને રસ્તે રખડતા કૂતરાએ બચકા ભરી લીધા છે જેથી લોકોને હવે પોતાના ઘર પાસે શેરીમાં નીકળવું પણ જોખમી બની ગયું છે ત્યારે રસ્તે રખડતા કુતરા કોઈને બચકા ભરે અથવા તો કોઈના માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા મનપા દ્વારા રસ્તે રખડતા કૂતરાઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવે અને ન માત્ર લખધીરવાસ વિસ્તાર પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કૂતરાનો આતંક હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર રસ્તે રખડતા કુતરાને પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.








Latest News