માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા


SHARE











મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા

મોરબી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભરી લેવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસોમાં અંદાજે 8 થી 10 જેટલા લોકોને કુતરાએ બચકા ભરી લીધા છે જેથી રસ્તે રખડતા કૂતરાઓને પકડવામાં આવે તેવી સ્થાનિક લોકો મનપા પાસે માંગ કરી રહ્યા છે

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસમાં તે વિસ્તારમાં રહેતા એક બે નહીં પરંતુ 8 થી 10 જેટલા લોકોને રસ્તે રખડતા કૂતરાએ બચકા ભરી લીધા છે જેથી લોકોને હવે પોતાના ઘર પાસે શેરીમાં નીકળવું પણ જોખમી બની ગયું છે ત્યારે રસ્તે રખડતા કુતરા કોઈને બચકા ભરે અથવા તો કોઈના માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા મનપા દ્વારા રસ્તે રખડતા કૂતરાઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવે અને ન માત્ર લખધીરવાસ વિસ્તાર પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કૂતરાનો આતંક હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર રસ્તે રખડતા કુતરાને પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.






Latest News