અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા


SHARE

















મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા

મોરબી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભરી લેવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસોમાં અંદાજે 8 થી 10 જેટલા લોકોને કુતરાએ બચકા ભરી લીધા છે જેથી રસ્તે રખડતા કૂતરાઓને પકડવામાં આવે તેવી સ્થાનિક લોકો મનપા પાસે માંગ કરી રહ્યા છે

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસમાં તે વિસ્તારમાં રહેતા એક બે નહીં પરંતુ 8 થી 10 જેટલા લોકોને રસ્તે રખડતા કૂતરાએ બચકા ભરી લીધા છે જેથી લોકોને હવે પોતાના ઘર પાસે શેરીમાં નીકળવું પણ જોખમી બની ગયું છે ત્યારે રસ્તે રખડતા કુતરા કોઈને બચકા ભરે અથવા તો કોઈના માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા મનપા દ્વારા રસ્તે રખડતા કૂતરાઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવે અને ન માત્ર લખધીરવાસ વિસ્તાર પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કૂતરાનો આતંક હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર રસ્તે રખડતા કુતરાને પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.






Latest News