મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા


SHARE

















મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા

મોરબી મનપાની ટેક્સ શાખાએ બાકી વેરાની વસૂલાત માટે 11 મિલકતોને સીલ કર્યા હતા જે પૈકીનાં 7 આસામીઓએ દ્વારા બાકી વેરો મનપામાં ભરી આપવામાં આવેલ છે જેથી તેના સીલ ખોલી દેવામાં આવેલ છે અને જે આસામી તેના લાંબા સમયથી બાકી રહેલા વેરા ભરશે નહીં તેની મિલકતની હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે.

મોરબી મહાનગરપાલિકાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, હાલ મોરબી ,મનપા દ્વારા મિલકત વેરા ઉપર 10 ટકા રિબેટ આપવા આવે છે સાથે ટેકસ શાખા દ્વારા તા 1/4 થી 12/6 સુધીમાં 10 થી 50 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા 3750 આસામીઓને વોરંટની બજવણી કરેલ છે. જેમાં  ટેકસ શાખા દ્વારા 11 મિલકતો સીલ કરવામાં આવતાની સાથે જ 7 મિલકત ધારકો દ્વારા ટેકસની રકમ ભરપાઈ કરવામાં આવી છે જેથી કરીને તે આસામીઓના સીલ ખોલવામાં આવ્યા છે તેમજ જે મિલકતને વેરો બાકી હોવાથી જપ્ત કરવામાં આવેલ હોય તેને ટુંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26 માં પણ ટેકસ શાખા દ્રારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જુન સુધીમાં મિલકત જપ્તી/ ટાંચમાં લેવાની કામગીરી કરવામાં આવશે. અને મિલકત વેરો ભરવા માટે www.enagar gujarat.gov in પર ઓનલાઇન ટેકસ આસામી ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે,રેલ્વે સ્ટેશન પાસે અને મોરબી મનપા મુખ્ય કચેરીમાં ટેકસ ભરી શકો છો. તેવી માહિતી મનપાના ડેપ્યુટી કમિશ્નરે આપેલ હતી.






Latest News