મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો
મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા
SHARE









મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા
મોરબી મનપાની ટેક્સ શાખાએ બાકી વેરાની વસૂલાત માટે 11 મિલકતોને સીલ કર્યા હતા જે પૈકીનાં 7 આસામીઓએ દ્વારા બાકી વેરો મનપામાં ભરી આપવામાં આવેલ છે જેથી તેના સીલ ખોલી દેવામાં આવેલ છે અને જે આસામી તેના લાંબા સમયથી બાકી રહેલા વેરા ભરશે નહીં તેની મિલકતની હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે.
મોરબી મહાનગરપાલિકાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, હાલ મોરબી ,મનપા દ્વારા મિલકત વેરા ઉપર 10 ટકા રિબેટ આપવા આવે છે સાથે ટેકસ શાખા દ્વારા તા 1/4 થી 12/6 સુધીમાં 10 થી 50 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા 3750 આસામીઓને વોરંટની બજવણી કરેલ છે. જેમાં ટેકસ શાખા દ્વારા 11 મિલકતો સીલ કરવામાં આવતાની સાથે જ 7 મિલકત ધારકો દ્વારા ટેકસની રકમ ભરપાઈ કરવામાં આવી છે જેથી કરીને તે આસામીઓના સીલ ખોલવામાં આવ્યા છે તેમજ જે મિલકતને વેરો બાકી હોવાથી જપ્ત કરવામાં આવેલ હોય તેને ટુંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26 માં પણ ટેકસ શાખા દ્રારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જુન સુધીમાં મિલકત જપ્તી/ ટાંચમાં લેવાની કામગીરી કરવામાં આવશે. અને મિલકત વેરો ભરવા માટે www.enagar gujarat.gov in પર ઓનલાઇન ટેકસ આસામી ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે,રેલ્વે સ્ટેશન પાસે અને મોરબી મનપા મુખ્ય કચેરીમાં ટેકસ ભરી શકો છો. તેવી માહિતી મનપાના ડેપ્યુટી કમિશ્નરે આપેલ હતી.

