મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા


SHARE













માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા

માળીયા (મી) ના જૂના માણાબા ગામે રહેતા યુવાનની પત્ની અને દીકરો તેના કૌટુંબિક ભાઈ ભાભી સાથે રિક્ષામાં હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનની પત્નીને માથા અને  કપાળમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને રીક્ષા ચાલક, રિક્ષા ચોકના પત્ની અને યુવાનના દીકરાને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના જુના માણાબા ગામે રહેતા લલિતભાઈ વલ્લભદાસ નિમાવત (41)ર હાલમાં સીએનજી રીક્ષા નં. જીજે 36 ડબલ્યુ 2309 ના ચાલક અજયભાઈ હરજીવનદાસ નિમાવત રહે. જુના મણાબા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, જૂના માણાબા ગામથી તેઓના કૌટુંબિક ભાઈ અજયભાઈ નિમાવતની રીક્ષામાં અજયભાઈના પત્ની સાક્ષીબેન તથા ફરિયાદીના પત્ની પદ્માબેન અને ફરિયાદીનો દીકરો ઉત્તમ હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં આવેલ ખાડામાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પત્ની પદ્માબેનને માથાની પાછળના ભાગમાં અને કપાળે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીના દીકરાને ડાબા પગના પંજામાં ઈજા થઈ હતી અને રીક્ષા ચાલક તથા તેના પત્નીને પણ ખભાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે જેથી કરીને તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News