માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન

નર્મદાની માળીયા કેનાલના આધારે ખેડૂતોએ પોતાન ખેતરમાં કપાસનું વાવેતર કરી નાખ્યું હતું  જો કે, નર્મદાની કેનાલમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સિચાઈનું પાણી આવી રહ્યું નથી જેથી ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે માટે વહેલી તકે તેઓને સિંચાઈ માટેનું પાણી મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સાથોસાથ કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય કે પાણી બકનળી મૂકીને ખેંચવામાં આવતું હોય તો તે બકનળીઓ બંધ કરીને છેવડાના ગામ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાશે.

દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ માળીયા તાલુકાનાં વિશાલનગર, સુલ્તાનપુર, વાધરવા, ખીરઇ, પંચવટી, માણાબામ વિજયનગર, ચિખલી સહિતના ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી આવશે તેવી અપેક્ષા સાથે વાવતેર કર્યું હતું જો કે, છેલ્લા ચાર દિવસથી કેનાલમાં પાણી આવી રહ્યું નથી. જેથી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે અને જો કપાસના પાક માટે બીજા પાણનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે આગોતરા પાકનું વાવેતર કર્યું છે પરંતુ તેઓને સીંચાઈનું પાણી ન મળતા હાલમાં ખેડૂતોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે. ત્યારે માળિયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.






Latest News