મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન

નર્મદાની માળીયા કેનાલના આધારે ખેડૂતોએ પોતાન ખેતરમાં કપાસનું વાવેતર કરી નાખ્યું હતું  જો કે, નર્મદાની કેનાલમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સિચાઈનું પાણી આવી રહ્યું નથી જેથી ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે માટે વહેલી તકે તેઓને સિંચાઈ માટેનું પાણી મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સાથોસાથ કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય કે પાણી બકનળી મૂકીને ખેંચવામાં આવતું હોય તો તે બકનળીઓ બંધ કરીને છેવડાના ગામ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાશે.

દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ માળીયા તાલુકાનાં વિશાલનગર, સુલ્તાનપુર, વાધરવા, ખીરઇ, પંચવટી, માણાબામ વિજયનગર, ચિખલી સહિતના ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી આવશે તેવી અપેક્ષા સાથે વાવતેર કર્યું હતું જો કે, છેલ્લા ચાર દિવસથી કેનાલમાં પાણી આવી રહ્યું નથી. જેથી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે અને જો કપાસના પાક માટે બીજા પાણનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે આગોતરા પાકનું વાવેતર કર્યું છે પરંતુ તેઓને સીંચાઈનું પાણી ન મળતા હાલમાં ખેડૂતોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે. ત્યારે માળિયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.






Latest News