મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને ઈકો ગાડીના હપ્તા ભરવાની ચિંતામાં મોરબી નજીક ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને ઈકો ગાડીના હપ્તા ભરવાની ચિંતામાં મોરબી નજીક ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને હપ્તે ઈકો ગાડી લીધી હતી અને તે ઇકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાની ચિંતામાં તેણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાના તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા રાહુલભાઈ અશોકભાઈ વિકાણી (18) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મોનલ કારખાના તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ પુનાભાઈ વિકાણી (46) રહે. નવી રાતીદેવડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવાને હપ્તેથી ઇકો ગાડી લીધી હતી અને તે ઈકો ગાડીનો અગાઉ વાંકાનેર શહેરી વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તે બાબતે તેની સામે ગુનો પણ નોંધાયેલ હતો અને ગાડી ટોટલ લોસ થઈ ગયેલ હતી બીજી બાજુ ઈકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાનું ટેન્શન હતું જેથી તેણે આર્થિક મૂંઝવણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News