મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ


SHARE

















મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ

દેશનેતાઓ, ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરતો બાળ ચિત્રકાર

દરેક બાળકએ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે.દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, કંઈકને કંઈક શક્તિ કલા, કૌશલ્ય આપેલા જ હોય છે પણ દરેક બાળકે, બાળકના માતા પિતાએ તે કલા,કૌશલ્ય, ખાસિયતોને વિકસાવવા માટે જહેમત ઉઠાવી પડે, કલાને નિખારવા સાધના કરવી પડે, આવી જ શક્તિ શક્ત શનાળા ગામના નિવાસી સુખદેવભાઈ અઘારાના પુત્ર અનંત કે  જેમને ધોરણ આઠ સુધીનો અભ્યાસ રાજપર તાલુકા શાળામાં પૂર્ણ કરી હાલમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા અનંત અઘારામા છે.

આ બાળ ચિત્રકાર છત્રપતિ શિવાજી મહારાજ,રાણા પ્રતાપ શહીદ વીર ભગતસિંહ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ,પ્રમુખ સ્વામી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ નરેન્દ્રભાઈ મોદી,વગેરે ઐતિહાસિક વ્યક્તિઓ તેમજ પરિવારના સભ્યો, અને અનંતને ગમતા વ્યક્તિ વિશેષના આબેહૂબ ચિત્રો દોરે છે.આ બાળ કલાકારની  કલાને વિકસાવવા એમના પિતા સુખદેવભાઈ અઘારા તેમજ ઘરના સભ્યો અનંતને જરૂરી તમામ સુવિધા તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, અનંતની આ અદ્દભુત, અલૌકીક કલા કૌશલ્યને નિહાળી ચોતરફથી અભિનંદન અને ધન્યવાદ મળી રહ્યા છે.






Latest News