મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા


SHARE











મોરબીની લીલાપર ચોકડી પાસે યુવાનને છરીના ઘા જીકીને જૂની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને આ બનાવને લઈને સતવારા સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગિરીશ નારણભાઈ કંઝારિયા નામના યુવાનની મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા સતવારા સમાજના લોકો તથા વજેપર વિસ્તારના લોકો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત પ્રમાણે ગઇકાલે જ મૃતક ગિરીશ નારાયણ કંઝારીયા સહિત બે શખ્સોની સામે તેઓની પાડોશમાં રહેતા હિરલબેન દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગરીશ સહિત બંન્ને શખ્સો તેઓના ઘર પાસે ગાળો બોલતા હતા અને ગાળો બોલવાની ના પાડતાં હિરલબેન તથા તેના સાસુ, સસરા અને પતિને ધમકી આપવામાં આવી હતી તથા તેઓની ઇકો ગાડીમાં નુકસાની પણ કરવામાં આવી હતી અને હાલમાં આ યુવાનની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે જેથી કરીને પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરીને ફરીયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News