હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર
મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા
SHARE









મોરબીની લીલાપર ચોકડી પાસે યુવાનને છરીના ઘા જીકીને જૂની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને આ બનાવને લઈને સતવારા સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગિરીશ નારણભાઈ કંઝારિયા નામના યુવાનની મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા સતવારા સમાજના લોકો તથા વજેપર વિસ્તારના લોકો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત પ્રમાણે ગઇકાલે જ મૃતક ગિરીશ નારાયણ કંઝારીયા સહિત બે શખ્સોની સામે તેઓની પાડોશમાં રહેતા હિરલબેન દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગરીશ સહિત બંન્ને શખ્સો તેઓના ઘર પાસે ગાળો બોલતા હતા અને ગાળો બોલવાની ના પાડતાં હિરલબેન તથા તેના સાસુ, સસરા અને પતિને ધમકી આપવામાં આવી હતી તથા તેઓની ઇકો ગાડીમાં નુકસાની પણ કરવામાં આવી હતી અને હાલમાં આ યુવાનની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે જેથી કરીને પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરીને ફરીયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

