ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા


SHARE















ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં બંને પક્ષેથી બાળક, મહિલા સહિત કુલ મળીને 10 જેટલા લોકોને ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના હડમતીયા ગામે રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ ખાખરીયા (47), રંજનબેન જગદીશભાઈ ખાખરીયા (45), નીતિનભાઈ જગદીશભાઈ ખાખરીયા (24) અને દશરથ જગદીશભાઈ ખાખરીયા (24)ને મારામારીમાં ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી ભરત દેવશીભાઈ ખાખરીયા (50), સોનલબેન ચંદ્રેશભાઇ ખાખરીયા (35), લાલજીભાઈ ભરતભાઈ ખાખરીયા (35) વિશાલભાઈ રાજેશભાઈ ખાખરીયા (25), સવિતાબેન વિશાલભાઈ ખાખરીયા (50), રાજેશભાઈ દેવશીભાઈ ખાખરીયા (51), પાર્વતી વિશાલભાઈ ખાખરીયા (7 માસ)ને ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીનો આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે. વધુમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા જગદીશભાઈ ખાખરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો નાનો દીકરો દશરથ છાશ લેવા માટે થઈને ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે તેઓના ભાઈજી દેવશીભાઈ રસ્તા વચ્ચે બેઠેલ હતા જેથી તેઓને દૂર જવા માટે દશરથે કહ્યું હતું જે બાબતને લઈને મારામારીનો આ બનાવ બન્યો હતો.






Latest News