માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા


SHARE

















ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં બંને પક્ષેથી બાળક, મહિલા સહિત કુલ મળીને 10 જેટલા લોકોને ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના હડમતીયા ગામે રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ ખાખરીયા (47), રંજનબેન જગદીશભાઈ ખાખરીયા (45), નીતિનભાઈ જગદીશભાઈ ખાખરીયા (24) અને દશરથ જગદીશભાઈ ખાખરીયા (24)ને મારામારીમાં ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી ભરત દેવશીભાઈ ખાખરીયા (50), સોનલબેન ચંદ્રેશભાઇ ખાખરીયા (35), લાલજીભાઈ ભરતભાઈ ખાખરીયા (35) વિશાલભાઈ રાજેશભાઈ ખાખરીયા (25), સવિતાબેન વિશાલભાઈ ખાખરીયા (50), રાજેશભાઈ દેવશીભાઈ ખાખરીયા (51), પાર્વતી વિશાલભાઈ ખાખરીયા (7 માસ)ને ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીનો આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે. વધુમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા જગદીશભાઈ ખાખરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો નાનો દીકરો દશરથ છાશ લેવા માટે થઈને ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે તેઓના ભાઈજી દેવશીભાઈ રસ્તા વચ્ચે બેઠેલ હતા જેથી તેઓને દૂર જવા માટે દશરથે કહ્યું હતું જે બાબતને લઈને મારામારીનો આ બનાવ બન્યો હતો.






Latest News