મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો


SHARE













મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને ઇન્ડિયન મેડિકલ એસો. (IMA) ના સંયુક્ત ઉપક્રમે ગર્ભ સંસ્કાર પર આધારીત વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ગર્ભાવસ્થામાં માતા પિતા દ્વારા સંસ્કાર સંચરણની જાગૃતિ ફેલાવવાનું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા ડૉ. જયેશભાઈ પનારા (ગાયનેકોલોજિસ્ટ, કલરવ હોસ્પિટલ) અને ડૉ. ચિરાગભાઈ વિડજા (આયુર્વેદાચાર્ય, શ્રીવેદ પંચકર્મ હોસ્પિટલ) એ ગર્ભ સંસ્કાર વિષયને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને સ્તરે રજૂ કર્યો હતા આ કાર્યક્રમમાં 70થી વધુ લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવાણીયા, ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી, IMA માંથી ડૉ અંજનાબેન ગઢિયા, ભારત વિકાસ પરિષદના મહિલા સહભાગીતા દર્શનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News