માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો
મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો
SHARE








મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો
મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને ઇન્ડિયન મેડિકલ એસો. (IMA) ના સંયુક્ત ઉપક્રમે ગર્ભ સંસ્કાર પર આધારીત વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ગર્ભાવસ્થામાં માતા પિતા દ્વારા સંસ્કાર સંચરણની જાગૃતિ ફેલાવવાનું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા ડૉ. જયેશભાઈ પનારા (ગાયનેકોલોજિસ્ટ, કલરવ હોસ્પિટલ) અને ડૉ. ચિરાગભાઈ વિડજા (આયુર્વેદાચાર્ય, શ્રીવેદ પંચકર્મ હોસ્પિટલ) એ ગર્ભ સંસ્કાર વિષયને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને સ્તરે રજૂ કર્યો હતા આ કાર્યક્રમમાં 70થી વધુ લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવાણીયા, ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી, IMA માંથી ડૉ અંજનાબેન ગઢિયા, ભારત વિકાસ પરિષદના મહિલા સહભાગીતા દર્શનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતું

