મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન

સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લની યાદીમાં જણાવ્યુ છે કે, દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે સાર્થક વિદ્યામંદિર અને તૃતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને સન્માન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે, સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર પ્રાંતમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમે છે (કુલ 31 કેન્દ્રોમાં 6800 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી) સંસ્કૃત ભારતી તેમજ મોરબી માટે આ ગૌરવની ક્ષણો છે. સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ તેમજ સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલઆ કાર્યક્રમમાં શ્રી ભાગ્યેશ ઝા, ડૉ. સુકાંત કુમાર સેનાપતિ, હિમાંજય પાલીવાલ, વલ્લભભાઈ પટેલ, ડૉ. કૃષ્ણ પ્રસાદ નિરૌલા, ડો. જયેન્દ્રસિંહ જાદવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News