મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર

મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાને આપઘાત કર્યો હતો જેની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પકડાયેલ બે આરોપીએ વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને કોર્ટે મંજૂર કરતાં બંને આરોપીઓનો જામીન ૫૨ છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. ૧૧/૪/૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ ૧૧ શખ્સોની સામે ફરિયાદ કરેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેના મોટાભાઇ નિલેશભાઈ હરેશભાઈ મકવાણા મોરબીના નવલખી રોડે હીતેશ માર્કેટીંગની ઓફીસ ધરાવતા હતા અને આરોપીઓના દબાણના કારણે જંતુનાશક દવા પી અને પોતે આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટ લખી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં છેલ્લે આરોપી નિલેશ ભીમાણી, તથા રવીભાઈ ડાંગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનીપભાઈ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જજ મીતલકુમાર રસીકભાઈ નાગપરાની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે જામીન અરજી કરી હતી જેમાં આરોપીના એડ્વોકેટની દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંન્ને આરોપીઓના શરતોને આધીન 50 હજારના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીઓ પક્ષે એડ્વોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગૌપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા. 






Latest News