મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા


SHARE















હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રહેતો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી અવાર નવાર પિતા પુત્રને બોલાચાલી ઝઘડો થતો હતો દરમિયાન પિતાએ તેના પુત્રને દોરીથી ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈની ફરિયાદ લઈને મૃતકના પિતા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ સોલંકી (42)એ હાલમાં તેના કાકા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ચરાડવા ગામે રહેતા તેઓના કાકાનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી (25) કામ ધંધો કરતો ન હોવાથી મનોજને તેના પિતાની સાથે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો અને ગઈકાલે ફરિયાદીના પિતરાઈ ભાઈને તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે મનોજને દોરીથી આરોપી દેવજીભાઈ સોલંકીએ ગળાટૂંપો આપી દેતા તેનું મોત નિપજ્યું હતું જેથી પોલીસે હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઇ ભાઈની ફરિયાદ લઈને મૃતકના પિતા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.






Latest News