મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ


SHARE













મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ

મોરબીની પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ આજની તારીખે કરવામાં આવે છે જો કે, ચોમાસા દરમ્યાન કોઈ અવ્યવસ્થા ન થાય તેના માટે આગામી બે મહિના સુધી કોઈ પશુ પાંજરાપોળમાં ન લેવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે જે અંગે જાણ સંસ્થાના ટ્રસ્ટી અને મોરબીના ધારાસભ્યએ વિડીયો મૂકીને લોકોને કરેલ છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને જણાવ્યું છે કે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ થઈ રહ્યો છે. અને ચોમસાની સિઝનમાં ગૌવંશો માટે બે મહિનો ચાલે તેટલો ચારો હાલમાં છે પરંતુ વધુ વરસાદ પડે તો સમસ્યા સર્જાય તેવી શ્ક્યતા છે અને હાલમાં ટ્રસ્ટ પાસે પૂરતું ભંડોળ પણ છે પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે આગામી બે મહિના સુધી પશુ ન લેવા તેવો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અને વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવા પશુઓને ગૌ સેવકો લઈને આવશે તો તેના માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.








Latest News