મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા
SHARE









ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા
તાજેતરમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતનાં જુદાજુદા જિલ્લા અને તાલુકામાં રાજકીય પરીવર્તનના એંધાણ જોવા મળે છે તેવામાં વાંકાનેર તાલુકાનાં રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ સભા રાખવામા આવી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ભાજપ અને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને મોરબી જિલ્લાના વાંકાનેર વિધાનસભામાં આવતા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપના આગેવાન રણછોડભાઈ થુલેટિયા, કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ ચૌહાણની સાથે રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર, સુરેશભાઈ ગાંગડીયા, પરબતભાઇ હમીરભાઈ મેર, બાબુભાઇ કરમશીભાઈ ગાંગડીયા,વલ્લભભાઈ રામજીભાઈ મેર, ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ ડાભી, સન્નાભાઈ બાવળીયા, સવશીભાઈ ઝાલા, લાલજીભાઈ કાળાભાઈ, જેરામભાઈ વજાભાઈ ઝાલા, રસિકભાઈ ગાંગાણી, દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી, નરશીભાઈ ગાંગડીયા, અરજનભાઈ ઝાલા (ચાલુ ગ્રામ પંચાયત સદસ્ય), સુખાભાઈ ગાંગાણી અને વકીલ ભૂતપભાઈ લુભાણી તથા રૂપાવટી ગામના લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરીત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે ત્યારે રાજુભાઇ કરપડા, કરશનબાપુ ભાદરકા, સાગરભાઈ રબારી, સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, વાંકાનેર વિધાનસભા પ્રભારી પંકજભાઈ આદ્રોજા, વાંકાનેર તાલુકા પ્રમુખ અલીહજભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
