મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા


SHARE













મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા

મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવા માટે થઈને છ મહિના પહેલા કમિશ્નર દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ આજની તારીખે ત્યાં ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોર સહિતના અનેક પ્રશ્નો છે. જેથી આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે સ્થાનિક મહિલાઓ સહિતનાઓ દ્વારા મહાનગરપાલિકા હાય હાયના સૂત્રોચાર કરીને છાજીયા લેવામાં આવ્યા હતા

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ તુર્જ એટલે કે ગત જાન્યુઆરી મહિનામાં મોરબીના વાવડી રોડ ઉપર કમિશનર સ્વપ્નિલ ખરે સહિતનાઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવા માટે થઈને જાહેરાત કરવામાં આવી હતી જેમાં ડીવાઈડરને કલર કામ કરવું, બેન્ચીસ મુકવા, ગાર્ડન ડેવલપ કરવું, સ્ટ્રીટ લાઇટ મૂકવી, ગંદકી દૂર કરવી, દબાણ દૂર કરવા વિગેરેનો સમાવેશ થતો હતો.

દરમિયાન ત્યાં આજની તારીખ પણ મુખ્ય માર્ગ ઉપર ગંદકીના થર જામેલા છે અને આઇકોનિક રોડ જેવી કોઈ સ્થિતિ ત્યાં જોવા મળતી નથી જેથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ તકે મહાનગરપાલિકા હાય હાય, કમિશનર હાય હાય, ધારાસભ્ય હાય હાય જેવા સૂત્રોચાર કરીને સ્થાનિક મહિલાઓ દ્વારા છાજિયા લેવામાં આવ્યા હતા.

વધુમાં મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, હાલમાં કમિશનર દ્વારા જે રીતે મોરબી શહેરની અંદર વન વિક વન રોડ દબાણ દૂર કરવા માટે થઈને ઝુંબેશ ચલાવવામાં આવે છે તેવી જ રીતે હવે કોંગ્રેસ દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ શરૂ કરીને ગંદકીને લગતા પ્રશ્નો તેમજ લોકોની સમસ્યાઓને ઉજાગર કરવામાં આવશે અને લોકોના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તેના માટે કોંગ્રેસ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવશે.

તો અંતમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ કહ્યું હતું કે, 2047 માં વિકસિત ભારતની વાતો કરવામાં આવે છે અને મોરબીના ધારાસભ્ય નરેન્દ્ર મોદીએ કરેલા કામોની વાતો કરે છે પણ મોરબીના લોકોની સમસ્યાઓ તેઓને દેખાતી જ નથી જેથી મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામ કરવામાં આવે તે જરૂરી છે. આ બાબતે ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ડિવાઈડરને કલર કામ, બેંચીસ મૂકવાનું કામ વિગેરે જેવા કામો છેલ્લા માહિનામાં કરવામાં આવેલ છે અને બાકીના કામોને આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં પૂરા કરવામાં આવશે.








Latest News