મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ


SHARE











મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સંલગ્ન રોગચાળા અટકાયતી કામગીરી અને ખાસ કરીને ગત વર્ષે ફેલાયલે ચાંદીપુરા વાયરસને પગલે આગોતરા પગલા લેવા અને સુચારૂ આયોજન કરવાના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.

ગત વર્ષ દરમિયાન વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ)ના કેસ જુલાઈ માસમાં જોવા મળ્યા હતા. જે અનુસંધાને મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં આ રોગચાળો ન ફેલાય તે માટે કલેકટરશ્રી મોરબીના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના અધ્યક્ષસ્થાને આરોગ્ય અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ  હતી. આ બેઠકમાં વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને યોગ્ય કામગીરી કરવા અને લોકોને સાવચેતી રાખવા માટે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતુ. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય  વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News