મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ


SHARE

















મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સંલગ્ન રોગચાળા અટકાયતી કામગીરી અને ખાસ કરીને ગત વર્ષે ફેલાયલે ચાંદીપુરા વાયરસને પગલે આગોતરા પગલા લેવા અને સુચારૂ આયોજન કરવાના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.

ગત વર્ષ દરમિયાન વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ)ના કેસ જુલાઈ માસમાં જોવા મળ્યા હતા. જે અનુસંધાને મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં આ રોગચાળો ન ફેલાય તે માટે કલેકટરશ્રી મોરબીના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના અધ્યક્ષસ્થાને આરોગ્ય અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ  હતી. આ બેઠકમાં વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને યોગ્ય કામગીરી કરવા અને લોકોને સાવચેતી રાખવા માટે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતુ. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય  વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News