રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબી: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સંતુલિત આહારશૈલીનું સવિશેષ મહત્વ


SHARE











મોરબી: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સંતુલિત આહારશૈલીનું સવિશેષ મહત્વ

ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરીને રાજ્યના નાગરિકોને સ્વસ્થ અને ફિટ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મેદસ્વિતા (ઓબેસિટી) પ્રત્યે જાગૃતિ લાવવી અને લોકોને સંતુલિત આહારશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. સંતુલિત આહાર માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને એકંદરે જીવનશૈલીને પણ સુધારે છે.

સંતુલિત આહારશૈલી એટલે શરીરને જરૂરી પોષક તત્વોનું સંતુલન. દરરોજના ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરવો જરૂરી છે. લોકોને ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સંતુલિત આહાર શરીરનું વજન નિયંત્રણમાં રાખવા સાથે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સંતુલિત આહારશૈલી અપનાવવી એટલે માત્ર શરીરને સ્વસ્થ રાખવું નહીં, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉર્જા ભરવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચવાનું લક્ષ્ય છે. નિયમિત કસરત, પૌષ્ટિક આહાર અને જાગૃતિ દ્વારા આપણે ગુજરાતને મેદસ્વિતા મુક્ત અને સ્વસ્થ બનાવી શકીએ છીએ. ચાલો, આજે જ સંકલ્પ લઈએ અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ

'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન એ ગુજરાતના નાગરિકોને સ્વસ્થ અને સુખી જીવન આપવાનો એક પ્રયાસ છે. સંતુલિત આહારશૈલી અપનાવીને આપણે ન માત્ર મેદસ્વિતાને હરાવી શકીએ, પરંતુ એક ઉર્જાવાન અને સક્રિય જીવનશૈલી પણ જીવી શકીએ. આજે જ આ દિશામાં પગલું ભરો અને ગુજરાતના સ્વસ્થ ભવિષ્યનો હિસ્સો બનો!.






Latest News