મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ


SHARE















મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામે ગુજરાત ગેસ દ્વારા રોડ તોડીને ગેસની લાઇનનું કામ કરવામાં આવ્યું હતું અને ગુજરાત ગેસની લાઈન નાંખવામાં આવી ત્યારે રોડ તોડવામાં આવ્યો હતો અને રોડ તોડવાના લીધે ત્યાં યોગ્ય બુરાણ કરવામાં આવ્યું ન હોય અને વ્યવસ્થિત રીતે રોડનું પેચવર્ક કરીને તેના ઉપર સીસી કરવામાં ન આવેલ હોવાના લીધે રોડ તૂટી ગયો છે.ટીંબડી ગામે એક ટ્રેક્ટર બેલા ભરીને જતું હતું ત્યારે ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલ ગેસ લાઇનની કામગીરી બાદ રોડ રીપેરીંગની યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોય અને ગેસની લાઈન નાખ્યા બાદ રોડ તોડ્યો હોય તેમજ રોડ તોડ્યા બાદ તે રોડને બરોબર રીપેર કર્યો ન હોય તેમાં માટી બુરાણ નાંખીને સીસી કામ પણ કરવામાં આવ્યુ ન હોય હાલમાં મોરબીના ટીંબડી ગામના ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન વડસોલા દ્વારા ગુજરાત ગેસ કંપનીને પત્ર લખીને તેઓ દ્વારા ગેસ લાઇનની કામગીરી માટે રોડ તોડયા બાદ યોગ્ય રીતે રોડ બનાવવામાં આવ્યો ન હોય રોડનું પેચવર્ક કરીને યોગ્ય રીતે રોડનું સમારકામ કરવામાં આવે તેમ તાકીદ કરવામાં આવેલ છે.જો દરેક ગામના સરપંચો અને તલાટી આટલુ ધ્યાન રાખે તો તેઓના ગામના ચોક્કસ વિકાસ થાય તે રીતે જ મહાપાલિકામાં પણ લોકો પોતાના ઘર કે દુકાન પાસે મનફાવે તેમ મજુરી લીધા વદર જ ગેસ, પાણી કે ભુગર્ભની લાઇન માટે તંત્રએ બનાવેલા રોડ વારંવાર તોડી નાખે છે અને બાદમાં ત્યાં યોગ્ય કામ કરવામાં આવતું નથી અને નવા બનેલા રોડ તૂટી ગયેલા જોવા મળે છે તો આ મુશ્કેલીમાંથી લોકોને મુક્તિ મળી જાય આ માટે સ્થાનીક આગેવાનો અને અધિકારીઓએ સતર્કતા રાખવી જરૂરી છે




Latest News