મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ


SHARE













મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામે ગુજરાત ગેસ દ્વારા રોડ તોડીને ગેસની લાઇનનું કામ કરવામાં આવ્યું હતું અને ગુજરાત ગેસની લાઈન નાંખવામાં આવી ત્યારે રોડ તોડવામાં આવ્યો હતો અને રોડ તોડવાના લીધે ત્યાં યોગ્ય બુરાણ કરવામાં આવ્યું ન હોય અને વ્યવસ્થિત રીતે રોડનું પેચવર્ક કરીને તેના ઉપર સીસી કરવામાં ન આવેલ હોવાના લીધે રોડ તૂટી ગયો છે.ટીંબડી ગામે એક ટ્રેક્ટર બેલા ભરીને જતું હતું ત્યારે ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલ ગેસ લાઇનની કામગીરી બાદ રોડ રીપેરીંગની યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોય અને ગેસની લાઈન નાખ્યા બાદ રોડ તોડ્યો હોય તેમજ રોડ તોડ્યા બાદ તે રોડને બરોબર રીપેર કર્યો ન હોય તેમાં માટી બુરાણ નાંખીને સીસી કામ પણ કરવામાં આવ્યુ ન હોય હાલમાં મોરબીના ટીંબડી ગામના ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન વડસોલા દ્વારા ગુજરાત ગેસ કંપનીને પત્ર લખીને તેઓ દ્વારા ગેસ લાઇનની કામગીરી માટે રોડ તોડયા બાદ યોગ્ય રીતે રોડ બનાવવામાં આવ્યો ન હોય રોડનું પેચવર્ક કરીને યોગ્ય રીતે રોડનું સમારકામ કરવામાં આવે તેમ તાકીદ કરવામાં આવેલ છે.જો દરેક ગામના સરપંચો અને તલાટી આટલુ ધ્યાન રાખે તો તેઓના ગામના ચોક્કસ વિકાસ થાય તે રીતે જ મહાપાલિકામાં પણ લોકો પોતાના ઘર કે દુકાન પાસે મનફાવે તેમ મજુરી લીધા વદર જ ગેસ, પાણી કે ભુગર્ભની લાઇન માટે તંત્રએ બનાવેલા રોડ વારંવાર તોડી નાખે છે અને બાદમાં ત્યાં યોગ્ય કામ કરવામાં આવતું નથી અને નવા બનેલા રોડ તૂટી ગયેલા જોવા મળે છે તો આ મુશ્કેલીમાંથી લોકોને મુક્તિ મળી જાય આ માટે સ્થાનીક આગેવાનો અને અધિકારીઓએ સતર્કતા રાખવી જરૂરી છે








Latest News