હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો


SHARE







મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર તથા આરોપી રાજસ્થાન હોવાની બાતમી મળી હતી.જે આધારે ત્યાંથી આરોપીને પકડવામાં આવેલ છે અને સગીરાને શોધી કાઢી તેના પરિવાર સુધી પહોંચાડવા તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જમાં ગુમ થયેલા અને અપહરણ થયેલાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હોય રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચનાને પગલે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ નીચેના સ્ટાફને સુચીત કર્યા હતા.દરમ્યાનમાં એએચટીયુ શાખાના પીઆઈ એમ.બી.મિસ્ત્રી તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન સ્ટાફના નંદલાલ વરમોરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો  આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી રહે.મુળ બાન્ડાહેડી ગામ તા.મોહનબડોદીયા જી.સાજાપુર મધ્યપ્રદેશ કેજે ફરીયાદીની સગીર વયની દિકરીને મોરબીના જેતપર રોજ પાવડીયાળી કેનાલ પાસે આવેલ સીરામીક કારખાનામાંથી અપહરણ કરી ગયેલ છે તે આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી (ઉ.વ.૨૩) રહે.મુળ બાન્ડાહેડી ગામ તા.મોહનબડોદીયા જી.સાજાપુર મધ્યપ્રદેશ તથા ભોગ બનનાર રાજસ્થાનના કોટા જીલ્લાના રામગંજમંડી નિનામાં રોડ માયલા ગામે છે.તેથી તે જગ્યાએથી બંને શોધીને તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.આ કામગીરી એએચટીયુ શાખાના પીઆઈ એમ.બી.મિસ્ત્રી, પીએસઆઇ એચ.એસ.તિવારી તથા એએચટીયુ ટીમના ફુલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, બકુલભાઇ કાસુન્દ્રા તથા અરવિંદસિંહ પરમાર, દ્વારા કરવામાં આવી હતી.

ફાંસો ખાતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા દીપેન્દ્રભાઈ જયભાઈ થાપા નામના ૨૮ વર્ષના યુવાને ગત તા.૬-૭ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાવાનો અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેકો જાણ થઈ જતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના માનસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બાબુલાલ રતિલાલ સુરેલા (૫૦) તથા ચંદ્રિકાબેન બાબુલાલ સુરેલા (૨૨) ને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ બેલા ગામે જયંતિભાઈની વાડીએ કોઈ કારણસર દવા પી જતા રાહુલ ગોવિંદભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બંને બાબતે સિવિલમાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસએ તપાસ કરી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News