મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE











માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મીયાણામાં રામાપીરના મંદિરની પાછળ દારૂની રેડ કરવામાં આવી હતી દરમિયાન ત્યાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની અને મોટી 96 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 63,360 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયામાં આવેલ રામાપીરના મંદિરની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને નાની મોટી 96 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 63,360 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી સલિમ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા (37) રહે, સરકારી હોસ્પિટલની બાજુમાં માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ તે કયાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી જતાં સારવારમાં

ટંકારાના વીરપર ગામે રહેતા આરતીબેન રાયમલભાઈ બામણીયા (16) નામની સગીરાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનને મારમાર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિશાંત જારીયા (30) નામના યુવાનને મહેન્દ્રનગર ગામે આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા છ થી સાત લોકો દ્વારા લોખંડના પાઇપ વડે માથામાં અને હાથે પગે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News