મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !


SHARE











હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમાવો આવી ગયો હતો જો કે, મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે તેનું રાજીનામું લઈને ગાંધીનગર પહોચ્યા હતા જો કે, ગોપાલ ઇટાલિયા ત્યા આવ્યા ન હતા જેથી ગમે ત્યારે ગોપાલ ઇટાલિયા આવે ત્યારે તે રાજીનામું આપવા માટે તૈયાર છે તેવી મોરબીના ધારાસભ્યએ હવે ખુલ્લી ચેલેન્જ આપેલ છે.

મોરબીમાં છેલ્લા દિવસોમાં જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેમાં વિસાવદર વળી થશે તેવી ચીમકી આપવા માટે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા જેથી કરીને વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ મોરબી ચૂંટણી લડવા માટે આવે તેવી ચેલેન્જ આપવામાં આવી હતી આટલું જ નહીં જો તે જીતી જાય તો તેને બે કરોડનું ઈનામ આપવાની મોરબીના ધારાસભ્યએ જાહેરાત કરી હતી. જેથી હાઇ વોલ્ટેજ ડ્રામા ગુજરાતમાં ચાલી રહ્યો હતો.

આજે સવારે કાંતિભાઈ અમૃતિયા તેના સમર્થકોની સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા અને ત્યાં જઈને અડધા કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવી હતી જો કે, બીજી બાજુ આપમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ આ અંગે હજુ સુધી કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. જો કે, કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હું અહીં 12 વાગે આવી ગયો છું હવે ગોપાલભાઈની રાહ જોવ છું.  કે, ગોપાલભાઈ આજે ત્યાં આવ્યા ન હતા. વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એવું પણ કહ્યું હતું કે, આજે નહીં ગમે ત્યારે ગોપાલભાઈ રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા માટે આવવાનું કહેશે ત્યાં હું રાજીનામું મૂકવા માટે આવીશ.






Latest News