મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !


SHARE















હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમાવો આવી ગયો હતો જો કે, મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે તેનું રાજીનામું લઈને ગાંધીનગર પહોચ્યા હતા જો કે, ગોપાલ ઇટાલિયા ત્યા આવ્યા ન હતા જેથી ગમે ત્યારે ગોપાલ ઇટાલિયા આવે ત્યારે તે રાજીનામું આપવા માટે તૈયાર છે તેવી મોરબીના ધારાસભ્યએ હવે ખુલ્લી ચેલેન્જ આપેલ છે.

મોરબીમાં છેલ્લા દિવસોમાં જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેમાં વિસાવદર વળી થશે તેવી ચીમકી આપવા માટે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા જેથી કરીને વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ મોરબી ચૂંટણી લડવા માટે આવે તેવી ચેલેન્જ આપવામાં આવી હતી આટલું જ નહીં જો તે જીતી જાય તો તેને બે કરોડનું ઈનામ આપવાની મોરબીના ધારાસભ્યએ જાહેરાત કરી હતી. જેથી હાઇ વોલ્ટેજ ડ્રામા ગુજરાતમાં ચાલી રહ્યો હતો.

આજે સવારે કાંતિભાઈ અમૃતિયા તેના સમર્થકોની સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા અને ત્યાં જઈને અડધા કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવી હતી જો કે, બીજી બાજુ આપમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ આ અંગે હજુ સુધી કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. જો કે, કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હું અહીં 12 વાગે આવી ગયો છું હવે ગોપાલભાઈની રાહ જોવ છું.  કે, ગોપાલભાઈ આજે ત્યાં આવ્યા ન હતા. વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એવું પણ કહ્યું હતું કે, આજે નહીં ગમે ત્યારે ગોપાલભાઈ રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા માટે આવવાનું કહેશે ત્યાં હું રાજીનામું મૂકવા માટે આવીશ.






Latest News