વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી !
Breaking news
Morbi Today

હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !


SHARE











હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમાવો આવી ગયો હતો જો કે, મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે તેનું રાજીનામું લઈને ગાંધીનગર પહોચ્યા હતા જો કે, ગોપાલ ઇટાલિયા ત્યા આવ્યા ન હતા જેથી ગમે ત્યારે ગોપાલ ઇટાલિયા આવે ત્યારે તે રાજીનામું આપવા માટે તૈયાર છે તેવી મોરબીના ધારાસભ્યએ હવે ખુલ્લી ચેલેન્જ આપેલ છે.

મોરબીમાં છેલ્લા દિવસોમાં જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેમાં વિસાવદર વળી થશે તેવી ચીમકી આપવા માટે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા જેથી કરીને વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ મોરબી ચૂંટણી લડવા માટે આવે તેવી ચેલેન્જ આપવામાં આવી હતી આટલું જ નહીં જો તે જીતી જાય તો તેને બે કરોડનું ઈનામ આપવાની મોરબીના ધારાસભ્યએ જાહેરાત કરી હતી. જેથી હાઇ વોલ્ટેજ ડ્રામા ગુજરાતમાં ચાલી રહ્યો હતો.

આજે સવારે કાંતિભાઈ અમૃતિયા તેના સમર્થકોની સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા અને ત્યાં જઈને અડધા કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવી હતી જો કે, બીજી બાજુ આપમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ આ અંગે હજુ સુધી કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. જો કે, કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હું અહીં 12 વાગે આવી ગયો છું હવે ગોપાલભાઈની રાહ જોવ છું.  કે, ગોપાલભાઈ આજે ત્યાં આવ્યા ન હતા. વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એવું પણ કહ્યું હતું કે, આજે નહીં ગમે ત્યારે ગોપાલભાઈ રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા માટે આવવાનું કહેશે ત્યાં હું રાજીનામું મૂકવા માટે આવીશ.






Latest News