મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇટ, ગટર, રોડ વિગેરેના રાતે ચાલતા કામનું નિરીક્ષણ કરતાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે


SHARE







મોરબીમાં લાઇટ, ગટર, રોડ વિગેરેના રાતે ચાલતા કામનું નિરીક્ષણ કરતાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે

મોરબીમાં છેલ્લા દિવસોમાં પડેલા વરસાદ પછી કેટલા વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર, લાઈટ, સફાઈ સહિતના પ્રશ્નો ઊભા થયા હતા જેથી કરીને લોકોએ આંદોલન કર્યા હતા અને બાદમાં અધિકારીઓએ મિટિંગો કરીને મોરબીમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટેની કામગીરીનું આયોજન કર્યું છે જેના ભાગ રૂપે જુદાજુદા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં ગઇકાલે રાત્રિના સમયે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે તેઓની ટિમ સાથે ફિલ્ડમાં નીકળ્યા હતા અને જે કામગીરી કરવામાં આવી રહી હતી તેનું નિરીક્ષણ કર્યું હતું. અને નજીકના દિવસોમાં રોડના ખાડા સહિતના પ્રશ્નો ઉકેલાઈ જશે તેવું જણાવ્યુ હતું.

મોરબીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના લીધે છેલ્લા દિવસોમાં લોકોને ચક્કાજામ કરીને આંદોલન કર્યા હતા જેને પગલે મનપા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ખાસ કરીને હાલમાં મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડરસ્તાના ખાડા બુરવા, ગટર સફાઈ કરવી અને સ્ટ્રીટ લાઈટ ફિટ કરવી તે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન ગઇકાલે રાત્રિના સમયે મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરે તેઓના અધિકારીઓની ટિમ સાથે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા અને લાતી પ્લોટ, પંચાસર રોડ, જેલ રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. અને ત્યારબાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, છેલ્લા દિવસોમાં અંદાજે 10 કિલો મીટર જેટલા શહેરના રસ્તાને વેટમિક્સથી રીપેર કરવામાં આવ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસમાં મોટા રસ્તાના કામ કરવામાં આવશે અને ત્યાર બાદ નાના ખાડા બુરવા માટેનું કામ કરવામાં આવશે.






Latest News