મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં મહાનગરપાલીકા લોકમેળાનું આયોજન કરે: કોંગ્રેસની રજૂઆત


SHARE













મોરબી શહેરમાં નગરપાલીકા કચેરી દ્વારા અગાઉ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું. જે લોકમેળાનો આનંદ મોરબી શહેરની જનતા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માણતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર નગરપાલીકા કચેરી દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવતું ન હતું. જોકે, ચાલુ વર્ષે મહાપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તહેવારના દિવસોમાં લોકમેળો એ લોકો માટે આનંદ અને મનોરંજન માટેનું ઉતમ માધ્યમ છે. મોરબી શહેરમાં હાલમાં પ્રાઈવેટ લોકમેળા થતાં હોવાના કારણે પ્રાઈવેટ લોકમેળાના સંચાલકો દ્વારા મોરબીના લોકો પાસેથી વધુ પૈસા પડાવી ઉઘાડી લુંટ ચલાવવામાં આવે છે. જેના કારણે ગરબી-મધ્યમ વર્ગના લોકો આ લોકમેળાનો આનંદ માણી શકતા નથી. મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો મળેલ છે. તેમજ શ્રાવણ માસની શુભશરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી છે. ત્યારે જો મોરબી મહાનગરપાલીકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો ''સૌનામાં સુગંદ’' ભળી જાય તેમ છે. તેમજ આ લોકમેળાનો આનંદ ગરીબ-મધ્યમ વર્ગના વધુને વધુ લોકો માણી શકે તેમ છે. જેથી કોંગ્રેસની રજુઆતને ધ્યાને લઈ શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન કરવા માટેની માંગ કરી છે.








Latest News