મોરબી શહેરમાં મહાનગરપાલીકા લોકમેળાનું આયોજન કરે: કોંગ્રેસની રજૂઆત
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા 27 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા 27 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 27 ને રવિવારે કેશવ બેન્કવેટ હોલ લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે બપોરે 3 વાગ્યે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહાવીરસિંહ એન. જાડેજાએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આ સરસ્વતી સન્માન સમારોહમાં ધો.5 થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવશે.