મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા 27 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE











મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા 27 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 27 ને રવિવારે કેશવ બેન્કવેટ હોલ લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે બપોરે 3 વાગ્યે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહાવીરસિંહ એન. જાડેજાએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આ સરસ્વતી સન્માન સમારોહમાં ધો.5 થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવશે.






Latest News